મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વીજળી, પાણી, સિંચાઈ, ટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના મુદાઓની સંકલનની બેઠકમાં સમીક્ષા


SHARE











મોરબી જીલ્લામાં વીજળીપાણીસિંચાઈટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના મુદાઓની સંકલનની બેઠકમાં સમીક્ષા

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં જીલ્લામાં વીજળીપાણીસિંચાઈટ્રાફિક, વરસાદી પાણીના નિકાલ સહિતના મુદાઓની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાકાંતિભાઈ અમૃતિયાપ્રકાશભાઈ વરમોરાજીતુભાઈ સોમાણી તેમજ મેઘજીભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા તેઓની હાજરીમાં જીલ્લામાં વીજળીપાણીસિંચાઈવાંકાનેર સર્કિટ હાઉસ બનાવવાવાંકાનેરમાં પીજીવીસીએલની નવી ઓફિસ બનાવવાજિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવાનેશનલ હાઇવે પર વરસાદી પાણીના નિકાલપાક વીમાની ચુકવણી બાબતે તેમજ વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતા મહેકમ બાબતે અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિજિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાયબ વન સંરક્ષક ચિરાગ અમીનનિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News