મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં આઈજીની હાજરીમાં ધારાસભ્યો-જિલ્લા પંચાયત પ્રમુખની સંકલન બેઠક યોજાઇ: ચોક-રોડ ઉપરથી દબાણો હટાવવા રજૂઆત


SHARE







મોરબીમાં આઈજીની હાજરીમાં ધારાસભ્યો-જિલ્લા પંચાયત પ્રમુખની સંકલન બેઠક યોજાઇ: ચોક-રોડ ઉપરથી દબાણો હટાવવા રજૂઆત

મોરબી એસપી કચેરી ખાતે આઈજી અશોક કુમારના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે તાજેતરમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં જે વેપારી સાથે ઘટના બની હતી તેને લઈને રજૂઆતો કરવામાં આવી હતી તે ઉપરાંત નગર દરવાજા ચોક સહિતના તમામ મેઇન રોડ ઉપર ખડકાઈ ગયેલ લારી, ગલ્લા સહિતના દબાણો હટાવવા માટે પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવૈ હતી.

મોરબીમાં રેન્જ આઈજી અશોક કુમારના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક રાખવામા આવી હતી જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી તેમજ જિલ્લા ભરના અધિકારી હાજર રહ્યા હતા. ત્યારે ખાસ કરીને મોરબીમાં થોડા દિવસો પહેલા ગ્રાહકના વાહનની સાથે વાહન અથડાવીને વેપારી અને તેના દીકર તેમજ ભાઈની ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો. તે ઘટના ભોગ બનેલા વેપારી સહિતના ત્યાં આવ્યા હતા અને ભંગાર વાળાના દબાણો સહિતના દબાણો હટાવવા માટેની રજૂઆત કરી હતી ત્યાર બાદ ધારાસભ્યની હાજરીમાં આઇજીની પત્રકારોએ મુલાકાત કરી હતી ત્યારે ખાસ કરીને મોરબીના નાગર દરવાજા ચોક, પરાબજાર, શકતીચોક, લોહાણપરા, શાકમાર્કેટ ચોક સહિતના વિસ્તારમાં જે લારી ગલ્લા સહિતના દબાણો છે તેને દૂર કરાવવા માટે પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આઈજી દ્વારા એસપી અને ડીવાયએસપીને દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે, અમલવારી કયારે થશે તે તો આગામી સમય જ બતાવશે. 






Latest News