સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ


SHARE











મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એસપી કચેરીએ આવીને આવેદનપત્ર આપ્યું છે અને જીલ્લામાં તેમના જ સમાજના અમુક લોકો ખોટી ફરિયાદો કરીને પૈસા પડાવવાનું કૃત્ય કરે છે. જેથી સમાજ પ્રત્યે લોકોને ધૃણા અને તિરસ્કાર ઉભો થયો છે. તેવી રજૂઆત કરી હતી અને મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદોની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજના લોકોએ એસપીને જે આવેદનપત્ર આપ્યું છે તેમાં જણાવ્યુ છે કે, તેમના સમાજના અમુક લોકો દ્વારા સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ઉપર ખોટી ફરિયાદો અને એટ્રોસિટીનાં કેસ કરી બ્લકમેલ કરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. અને આવા લોકોની ખોટી ફરિયાદોના કારણે સમાજ-સમાજ વચ્ચે વૈમનશ્ય ફેલાય રહ્યું છે. અને હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં ખોટી ફરિયાદ કરનારની નામ જોગ રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેની સમીક્ષા કરી ખોટી ફરિયાદ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. આટલું જ નહીં પરંતુ વારંવાર ફરિયાદો કરનારની કોઈપણ ફરિયાદ લેતા પહેલા પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.






Latest News