મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન


SHARE











મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન 

મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ નજીક 'ભગવત ગીતાથી આનંદ પ્રાપ્તિ' વિષય અંતર્ગત આવતીકાલ તા.૫ ને શુક્રવારના રોજ સાંજના પાંચ થી સાત સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ખાતે આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં GIVE ના ફાઉન્ડર ચેરમેન ડો.વૃંદાવનચંદ્ર દાસ ઉપસ્થિત રહીને ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય ઉપર પ્રવચન આપશે.આ સત્સંગ સભામાં બાળભકત એવા ભક્ત ભાગવત ઉપસ્થિત રહેશે.કાર્યક્રમમાં ગીતા ઉપદેશ, સંકિર્તન સાથે મનને મુંજવાતા પ્રશ્નોના સમાધાન સહિતના સેશનનું આયોજન કરવામાં આવેલ હોય નિઃશુલ્ક સતસંગમાં સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ હોય મોરબીવાસીઓને આ સતસંગનો લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News