જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત


SHARE











હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત

હળવદની કોર્ટ અને તાલુકા પંચાયતમાં સફાઈ કામ કરતું દંપતિ પોતાનું કામ પૂરું કરીને હળવદથી ટીકર બાજુ જઈ રહ્યું હતું ત્યારે જુના અમરાપર પાસે તેઓના ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ બાબુભાઇ પરમાર (31) અને મુક્તાબેન અશ્વિનભાઈ પરમાર (31) હળવદમાં આવેલ કોર્ટ તેમજ તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કામ કરે છે તે કામ પૂરું કરીને તેઓ બાઇક લઈને હળવદથી પાછા ટીકર જઈ રહ્યા હતા ત્યારે જુના અમરાપર નજીક કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને આ બનાવની જાણ થતાં પરિવારજનો તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક દંપતીના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દંપતીને ત્રણ દીકરી અને એક દીકરો છે જે ચાર સંતાનોએ આજે આ અકસ્માતના બનાવના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News