મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા
Breaking news
Morbi Today

હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત


SHARE











હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત

હળવદની કોર્ટ અને તાલુકા પંચાયતમાં સફાઈ કામ કરતું દંપતિ પોતાનું કામ પૂરું કરીને હળવદથી ટીકર બાજુ જઈ રહ્યું હતું ત્યારે જુના અમરાપર પાસે તેઓના ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ બાબુભાઇ પરમાર (31) અને મુક્તાબેન અશ્વિનભાઈ પરમાર (31) હળવદમાં આવેલ કોર્ટ તેમજ તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કામ કરે છે તે કામ પૂરું કરીને તેઓ બાઇક લઈને હળવદથી પાછા ટીકર જઈ રહ્યા હતા ત્યારે જુના અમરાપર નજીક કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને આ બનાવની જાણ થતાં પરિવારજનો તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક દંપતીના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દંપતીને ત્રણ દીકરી અને એક દીકરો છે જે ચાર સંતાનોએ આજે આ અકસ્માતના બનાવના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News