હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચે જન્મદિવસે કર્યો અનોખો સંકલ્પ


SHARE











મોરબીના લખધીરપુર ગામના મહિલા સરપંચે જન્મદિવસે કર્યો અનોખો સંકલ્પ

મોરબી તાલુકાના લખધીરપુર ગામના મહિલા સરપંચ દ્વારા આજે તેમના જન્મદિવસે અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં જ્યાં સુધી તેઓ પદ ઉપર હશે ત્યાં સુધી તેઓના ગામમાં કોઈ પણ ઘરની અંદર દીકરીનો જન્મ થશે તો તે દીકરીને 1,111 રૂપિયા તેમના તરફથી આપવામાં આવશે

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પરિવારજનો સાથે કરતા હોય છે અને પાર્ટીઓ કરતા હોય છે પરંતુ આવા સમયે મોરબી તાલુકાના લખધીરપુર ગામના મહિલા સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર દ્વારા આજે તા.13/6 ના રોજ તેઓના જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી છે અને તેમણે એવો સંકલ્પ કર્યો છે કે તેઓના ગામની અંદર તે જ્યાં સુધી પદ ઉપર હશે ત્યાં સુધીના સમયગાળામાં કોઈપણ ઘરે દીકરીનો જન્મ થશે તો તેઓના તરફથી તે દીકરીને 1,111 રૂપિયા આપવામાં આવશે અને દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તે માટે થઈને આવી અનોખી પહેલ તેમના દ્વારા કરવામાં આવી છે અને આ મહિલા સરપંચ દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે અન્ય માટે પણ પ્રેરણા બનશે






Latest News