રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

ધારાસભ્યોની રજૂઆત ફળી: મોરબી જીલ્લાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે સિંચાઇ માટે મળશે પાણી


SHARE











ધારાસભ્યોની રજૂઆત ફળી: મોરબી જીલ્લાના ખેડૂતોને નર્મદાની કેનાલ મારફતે સિંચાઇ માટે મળશે પાણી

આગામી ચોમાસુ સક્રિય થાય તેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાની કેનાલ મારફતે પાણી મળી રહે તેના માટે કેનાલમાં પાણી છોડવાની સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચોમાસુ પાક લેવા માટે ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરવામાં આવે છે તેવી જ રીતે આગામી ચોમાસુ પાક લેવા માટેની ખેડૂતો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવા બાબતે રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે તેના માટે સરકારે તા. ૧૦ જૂનથી ૧૦ હજાર ક્યુસેક પાણી નર્મદાની કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.






Latest News