માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબીમાં મંદિરોને પાલિકાની નોટિસ મામલે ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત

મોરબીમાં પાલીકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં આવેલ ૪૫ જેટલા મંદિરોને નોટીસ આપવામાં આવેલ છે જે મામલે હિન્દુવાદી સંગઠનોએ રોષની લાગણી વ્યક્ત કરેલ છે અને હાલમાં મોરબીના ૧૪૫૮ લોકોની સહી સાથે કલેક્ટરને રજૂઆત કરીને હિન્દૂ મંદિર યથાવત રાખવાની માંગ કરી છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીના જુદાજુદા વિસ્તારોમાં વર્ષોથી જે મંદિરો આવેલ છે તેની સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને મંદિરોમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવેલ છે. અને ખાસ કરીને માનવસર્જીત આફતો સમયે આ મંદિરોના સંચાલકો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવકાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ દરેક મંદિરો સાથે લોકો જોડાયેલ છે. વધુમાં મોરબીમાં એક પણ મંદિર શહેરના કોઈપણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી તેથી તે મંદિરોને યથાવત રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુઃભાય તે જોવા વિનંતી કરી છે અને ખાસ કરીને મોરબીમાં શું મંત્ર મંદિરો જ ગેરકાયદેસર છે ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છ






Latest News