તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી એનડીપીએસના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાંથી એનડીપીએસના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો અને તેનો ગુનો નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે

આ કેસની વકીલ પાસેથી જાણવા મળે માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૭ માં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધાયો હતો જેમાં આરોપીના કબ્જાવાળી હોટેલમાં ગેરકાયદે અફીણનો જથ્થો રાખવામા આવ્યો હતો અને ૨૬,૫૩૫ ગ્રામ અફીણ જેની કિંમત ૫૩,૦૭૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર રહે. મધ્યપ્રદેશ વાળાને પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું આ કેસ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ મોરબીના આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદારને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે અને આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા






Latest News