ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી એનડીપીએસના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીની કોર્ટમાંથી એનડીપીએસના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો અને તેનો ગુનો નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે

આ કેસની વકીલ પાસેથી જાણવા મળે માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૭ માં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધાયો હતો જેમાં આરોપીના કબ્જાવાળી હોટેલમાં ગેરકાયદે અફીણનો જથ્થો રાખવામા આવ્યો હતો અને ૨૬,૫૩૫ ગ્રામ અફીણ જેની કિંમત ૫૩,૦૭૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર રહે. મધ્યપ્રદેશ વાળાને પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું આ કેસ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ મોરબીના આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદારને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે અને આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા






Latest News