મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના જોધપર ડેમ નજીક ટીકડા ખાઈ જતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર જોધપર ડેમ પાસે યુવાને ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લેતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી હરેશભાઈ નામના યુવાનને મોરબી તાલુકાના લીલાપર-જોધપરના રસ્તે મચ્છુ-2 ડેમ નજીક અગમ્ય કારણોસર ઘઉંમાં નાંખવાના 4-5 ટીકડા ખાઈ લીધા હતા.જેથી તેમને પ્રથમ અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવેલ. અહીં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. હોસ્પીટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતે ઈજા
મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ જવાહર સોસાયટીમાં રહેતા નવિનભાઈ રતિલાલ ચૌહાણ (ઉ.31) નામનો યુવાન બાઈક લઈને જેતપર-પીપળી રોડ ઉપરથી જતો હતો ત્યારે પીપળી ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ શરૂ કરેલ છે.
મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે સીરામીક યુનીટ નજીક મારામારીમાં ઈજા થતા રાજેશકુમાર રનવિરસિંહ શર્મા (ઉ.24) રહે. લીવાટ સીરામીક રંગપરની સિમ તા.જી. મોરબીને ગત તા.2ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મારામારીની ઘટનામાં ઈજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જયાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

 






Latest News