હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનોને બ્રેક લગાવવા હર્ષ સંઘવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનોને બ્રેક લગાવવા હર્ષ સંઘવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લામાં બેફામ ગતિએ ઓવરલોડ માલ ભરીને વાહનો ચલાવવામાં આવે છે તેને વહેલી તકે કોઈ જીવલેણ ગંભીર અકસ્માત બને તે પહેલા બંધ કરાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે હાલમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ હાલમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી છે કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં કોઈપણ પ્રકારની કાયદાકીય સુચનાઓનું પાલન કર્યા વગર ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ ગતિએ ચલાવવામાં આવે છે તેમજ આવા ખનીજ ભરેલા ઓવરલોડ વાહનોમાંથી પથ્થર પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આ ઓવરલોડ વાહનોમાંથી નાના નાના પથ્થર અન્ય નાના વાહન ચાલકો પર પડે છે. જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા છે તેમજ ઓવરલોડ રેતી ભરેલ વાહનોમાંથી ખારૂ પાણી રોડ ઉપર પડતુ હોવાના કારણે લોકોના ટેકસમાંથી બનેલ રોડ-રસ્તાઓ વારંવાર તુટી જતાં હોય છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.

તેમજ મોરબી જીલ્લાના નવલખી બંદર પરથી કોલસા ભરેલા ઓવરલોડ વાહનો બેફામ રીતે ચાલી રહયા છે. જે કોલસા રોડ-રસ્તા પર પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલના સમયમાં ખનીજ ભરેલા ઓવરલોડ વાહનના ચાલકો બેફામ બન્યા છે. ત્યારે મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહયું છે. જેના કારણે અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. અને કેટલાક લોકોની જીંદગી તેમાં હોમાઇ ગયેલ છે ત્યારે આવા ઓવરલોડ વાહનો બંધ કરાવવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગ કરી છે






Latest News