મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે પરશુરામધામ ખાતે યોજાયો શરદોત્સવ


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે પરશુરામધામ ખાતે યોજાયો શરદોત્સવ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરશુરામ ધામ ખાતે તમામ ભૂદેવ પરિવારો ગરબે ઘુમવા માટે આવ્યા હતા અને રસ ગરબાની રમઝટ બોલાવી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પરશુરામ ધામ ખાતે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મસમાજના દરેક પરિવારોના લોકો સહ પરિવાર હાજર રહ્યા હતા અને શરદપુનમની રઢિયાળી રાતે શરદોત્સવમાં સૌ ભૂદેવ ભાઈઓ, બહેનો અને બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે દરેક વિજેતા સ્પર્ધકને પરશુરામ યુવા ગ્રૃપ દ્વારા પ્રોત્સહક ઇનામ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબીના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડો.ચિન્મય ત્રિવેદી, ડો.બી.કે.લહેરૂ, એડ.જગદીશ ઓઝા, નલીનભાઇ ભટ્ટ, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ કિશોરભાઇ શિકલ અને પુર્વ પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા, બીપીનભાઇ વ્યાસ, રાજુભાઇ ભટ્ટ, કેયુર પંડયા સહિતના આગેવાનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, મુકુંદરાય જોશી, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, પ્રણવ ત્રિવેદી, યજ્ઞેશ જાની, આર્યન ત્રિવેદી, કોશીકભાઈ વ્યાસ, મનીષભાઈ જોશી તેમજ મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ બ્રહ્મપૂરી પરિવાર અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઓના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.






Latest News