મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત


SHARE







માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી એક યુવાન અને બે સગીર આમ કુલ મળીને ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા તે ઘટનાની હજુ તો સહી સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લાના માળીયા (મી)ના વર્ષામેડી ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયેલ ત્રણ માસુમ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે ત્રણેયના મોત નિપજ્યાં હતા અને તે બાળકોના મૃતદેહને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના વર્ષામેડી ગામે રહેતા ત્રણ બાળકો બુધવારે બપોરના સમયે ગામ તરફ જવાના રસ્તે ભરાઈ રહેલા પાણીમાં ડૂબી જવાથી ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા (૧૨), શૈલેષ અમરશીભાઇ (૮) અને મેહુલ ભુપતભાઇ મહાડિયા (૧૦) નામના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેયના મોત નિપજ્યાં હતા વધુમાં મળતી માહિતી મુજબ આ બાળકો ઘેર કોઈને કહ્યા વગર પાણીમાં ન્હાવા માટે ગયા હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News