મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

હળવદ નજીકથી કતલખાને લઈ જતાં ઘેંટા ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: બેની શોધખોળ


SHARE











હળવદ નજીકથી કતલખાને લઈ જતાં ઘેંટા ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: બેની શોધખોળ

હળવદ તાલુકાની મોરબી ચોકડી પાસેથી પસાર થતી સીએનજી રીક્ષામાં સાત ઘેટાને ભરીને કતલખાને લઈ જતા હતા જે રીક્ષાને રોકવામાં આવી હતી અને ત્યારે રિક્ષામાં ઘાસચારાની કે અન્ય કોઈ સુવિધા ન હતી અને ઘેટાને ધ્રાંગધ્રા તાલુકાનાં ગામડામાંથી ખરીદી કરીને કતલખાને મોરબી લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના સાત નંગ ઘેટાં બચાવવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ગુનો નોંધાયેલ છે જે પૈકીના બે આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની સોનીવાડમાં રહેતા કિરણકુમાર રજનીકાંતભાઈ પંડ્યા (૩૮)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતુભાઈ દેવાભાઈ સલાટ, રાજુભાઈ દેવાભાઈ સલાટ,  છેલાભાઈ ભરવાડ અને ઈસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદની મોરબી ચોકડી પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૩૩૦ પસાર થતી હતી જેને રોકવામાં આવી ત્યારે તેમાંથી સાત નંગ ઘેટા મળી આવતા ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના અબોલ જીવને રિક્ષામાં બેઠેલ જીતુભાઈ સલાટ અને રાજુભાઈ સલાટ છેલાભાઈ ભરવાડ પાસેથી ખરીદી કરીને ઇસ્માઈલભાઈ ખાટકીને વેચાણ કરવા માટે જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે કિરણકુમાર પંડ્યાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જીતુભાઈ દેવાભાઈ સલાટ (૩૯) તથા રાજુભાઈ દેવાભાઈ સલાટ (૪૧) રહે. બંને નવા જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને છેલાભાઈ ભરવાડ રહે. કોપરણી તાલુકો ધાંગધ્રા તેમજ ઈસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકી રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તે બંનેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News