મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો
Breaking news
Morbi Today

મનપસંદ પ્રતિનિધિ ચુંટવા માટેનો મોકો છે તો મતદાન કરી લેજો પછી બળાપો ન કરતા: હાસ્ય કલાકાર હકાભા ગઢવી


SHARE











મનપસંદ પ્રતિનિધિ ચુંટવા માટેનો મોકો છે તો મતદાન કરી લેજો પછી બળાપો ન કરતા: હાસ્ય કલાકાર હકાભા ગઢવી

લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની તો તેમને આજે તેઓના પત્ની અને દીકરી સાથે જઈને મતદાન કર્યું હતું અને ત્યારબાદ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનપસંદ પ્રતિનિધિને ચૂંટવા માટે પાંચ વર્ષે એક વખત મોકો મળતો હોય છે ત્યારે દરેક મતદારે પોતાની ફરજ સમજીને પોતાના મનગમતા પ્રતિનિધિ ને ચુંટી કાઢવા માટે તેને મતદાન કરવું જોઈએ અને મતદાન નથી કરતા તે લોકો પછી બળાપો કાઢતા હોય છે તેવું ન થાય તે માટે સૌ અવશ્ય મતદાન કરે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

આજે ગુજરાતની લોકસભાની તમામ બેઠકો ઉપર ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને લોકો ઉત્સાહભેર વહેલી સવારથી મતદાન બુથ ઉપર લાઈનો લગાવીને મતદાન કરી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદમાં રહેતા જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ તેઓના પત્ની અને દીકરી સાથે જઈને હળવદની સરા ચોકડી પાસે આવેલ વેજનાથ મહાદેવ મંદિર સામેના ભાગમાં જે મતદાન બુથ આવેલ છે ત્યાં જઈને મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ તેઓએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મતાધિકાર દરેક નાગરિકને મળે છે અને તેમણે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવું જોઈએ અને પોતાના મનગમતા પ્રતિનિધિને ચુંટી કાઢવા માટે તેને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને હાસ્ય વ્યંગ સાથે તેઓ જણાવ્યું હતું કે મોટાભાગે જે લોકો મતદાન કરવા નથી જતા તે લોકો જ પાછળથી બળાપો કાઢતા હોય છે જેથી કરીને પાછળથી બળાપો ન કાઢવો પડે તે માટે થઈને લોકો આજે તક મળી છે ત્યારે અવશ્ય મતદાન કરે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરેલ છે.






Latest News