વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મનપસંદ પ્રતિનિધિ ચુંટવા માટેનો મોકો છે તો મતદાન કરી લેજો પછી બળાપો ન કરતા: હાસ્ય કલાકાર હકાભા ગઢવી


SHARE







મનપસંદ પ્રતિનિધિ ચુંટવા માટેનો મોકો છે તો મતદાન કરી લેજો પછી બળાપો ન કરતા: હાસ્ય કલાકાર હકાભા ગઢવી

લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની તો તેમને આજે તેઓના પત્ની અને દીકરી સાથે જઈને મતદાન કર્યું હતું અને ત્યારબાદ તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મનપસંદ પ્રતિનિધિને ચૂંટવા માટે પાંચ વર્ષે એક વખત મોકો મળતો હોય છે ત્યારે દરેક મતદારે પોતાની ફરજ સમજીને પોતાના મનગમતા પ્રતિનિધિ ને ચુંટી કાઢવા માટે તેને મતદાન કરવું જોઈએ અને મતદાન નથી કરતા તે લોકો પછી બળાપો કાઢતા હોય છે તેવું ન થાય તે માટે સૌ અવશ્ય મતદાન કરે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

આજે ગુજરાતની લોકસભાની તમામ બેઠકો ઉપર ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને લોકો ઉત્સાહભેર વહેલી સવારથી મતદાન બુથ ઉપર લાઈનો લગાવીને મતદાન કરી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના હળવદમાં રહેતા જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ તેઓના પત્ની અને દીકરી સાથે જઈને હળવદની સરા ચોકડી પાસે આવેલ વેજનાથ મહાદેવ મંદિર સામેના ભાગમાં જે મતદાન બુથ આવેલ છે ત્યાં જઈને મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ તેઓએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મતાધિકાર દરેક નાગરિકને મળે છે અને તેમણે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવું જોઈએ અને પોતાના મનગમતા પ્રતિનિધિને ચુંટી કાઢવા માટે તેને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને હાસ્ય વ્યંગ સાથે તેઓ જણાવ્યું હતું કે મોટાભાગે જે લોકો મતદાન કરવા નથી જતા તે લોકો જ પાછળથી બળાપો કાઢતા હોય છે જેથી કરીને પાછળથી બળાપો ન કાઢવો પડે તે માટે થઈને લોકો આજે તક મળી છે ત્યારે અવશ્ય મતદાન કરે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરેલ છે.






Latest News