મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા


SHARE











વાંકાનેરના માટેલ રોડે કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: વીસેરા લેવાયા

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવારજન દ્વારા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લેવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઇલીન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સોનુકુમારસિંહ બ્રજમોહનસિંહ જાતે રાજપૂત (૩૪) નામના યુવાનનો  માટેલ રોડ ઉપર બ્રાવેટ સીરામીક કારખાના સામે ખુલ્લા પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને રાકેશકુમાર બબનસિંહ રાજપૂત (૨૫) રહે. લાઇકોસ સેનેટરી કારખાનામાં ઘુટું મૂળ રહે બિહાર વાળો વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે અને વધુમાં તેમની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ સુમરા (૫૫) નામના આધેડ મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જવાના કારણે હસીનાબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News