મોરબીમાંથી યુવાનનું અપહરણ કરીને ૫૦ હજારની માંગણી કરનાર બે ની ધરપકડ
મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
SHARE
મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા રજત જયંતી વષઁની ઉજવણી નીમીત્તે સર્વરોગ નીદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ દશાશ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે યોજાયો હતો જેનો ૩૨૦ દર્દીઓએ લાભ લીધેલ હતો.આ કેમ્પમાં ડો.રવી પટેલ, ડો.વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ (રાઘાક્રીષ્ન હોસ્પિટલ), ડો.દીક્ષીત કાસુંદ્રા (કામ્યા સ્કીન કલીનીક), ડો.વીશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ) એ સેવા આપી હતી. જેમાં દર્દીના ફેફસાની તપાસ, બીપી,હદય, ડાયાબીટીશ, આંખ, ચામડીની તપાસ કરીને દવા વીનામુલ્યે આપવામાં આવી હતી.અને સંસ્કાર બ્લડ બેન્ક માટે કેમ્પમાં ૫૭ બોટલ રકતઆ એકત્રિત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતી સેન્ટરના પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.