હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બ્યુટી પાર્લર અને મહેંદીકોર્સનો શુભારંભ, સારા-માઠા પ્રસંગોમાં અનુદાન આપી મદદ કરવા અપિલ


SHARE











મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા બ્યુટી પાર્લર અને મહેંદીકોર્સનો શુભારંભ, સારા-માઠા પ્રસંગોમાં અનુદાન આપી મદદ કરવા અપિલ

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહેંદી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહેંદી પ્રતિયોગિતા કરવાનો  ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દીકરીઓ તથા મહિલાઓને બ્યુટી પાર્લર અને મહેંદીનો કોર્સ કરાવવાનો હતો.જરૂરીયાતમંદ પરિવારની દીકરીઓ તથા મહિલાઓ પોતાના પગભર થઈ શકે અને પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે તે ઉમદા હેતુથી આ પ્રતિયોગિતા દ્વારા ફંડ ભેગું કરવામાં આવ્યું હતું.આ દીકરીઓ તથા મહિલાઓને કોર્સ કરાવવાની ઘટતી ફીની રકમનું ફંડ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યો દ્વારા આપવામાં આવ્યું હતું.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ૧ લી મે ના રોજથી આ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ફંડ  ચાવડા રાજલબેન, ચાવડા મીનાબેન, જાગૃતિબેન હડીયલ, અલ્કાબેન વિલપરા, સારંગાબેન ભટ્ટ, સ્મિતાબા જાડેજા, નેહાબેન ભરવાડ, ક્રિષ્નાબેન ભરવાડ, છનિયારા મીનલબેન અને ભગવતીબેન એમ ૧૦ દીકરીઓ-મહિલાઓને શીખવાડવામાં વાપરવામાં આવ્યું છે.મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું આ ત્રીજું વર્ષ શરૂ થયું છે અને તેઓ દ્વારા કરવામાં આવેલ ઉમદા કાર્યને મોરબીની જનતાએ ખૂબ જ બિરદાવેલ છે.જેના પરિણામે આ વર્ષે મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોની સંખ્યા બમણી થઈ છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.અત્યાર સુધી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ કોઈપણ ઉમદા કાર્ય માટે બહારથી પૈસા લીધા નથી.ફક્તને ફક્ત મુસ્કાનના સભ્યોએ હંમેશા પોતાના પોકેટમનીમાંથી જ ઉમદા પ્રવૃત્તિઓ કરી છે. પરંતુ, હવે મુસ્કાન વેલ્ફેર સોસાયટી વધુને વધું સારી પ્રવૃત્તિઓ કરવા જઈ રહી છે ત્યારે મોરબીની જનતાના આર્થિક સહયોગની જરૂરિયાત ઉભી થયેલ છે.માટે આપના પરિવારમાં કોઈનો જન્મ દિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈ પ્રસંગ હોય તો તમે મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આપની અનુકૂળતા મુજબ અનુદાન આપીને તેમના પ્રવૃતીને પ્રોત્સાહિત કરી શકો છો.આ અનુદાનનો ઉપયોગ ફક્તને ફક્ત સેવાકીય, સાંસ્કૃતિક, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, રોજગાર જેવા ઉમદા કાર્યોમાં જ કરવામાં આવશે તેની ખાતરી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ આપેલ છે.






Latest News