મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન


SHARE











મોરબીના મચ્છુ- ડેમમાંથી પાણી છોડતા માળિયા (મી)ના મીઠાના અગરોને નુકશાન

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમને રીપેર કરવા માટે નદીમાં પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને આ પાણી માળીયા મિયાણા તાલુકાના મીઠાના અગરો ફરી વળતાં અગરિયા પરિવારોને નુકશાન થયેલ છે જેના માટે અગરિયા હિત રક્ષક મંડળ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવેલ છે અને ડિઝાસ્ટર અંતર્ગત અધિકારીની સામે પગલાં લેવાની માંગ કરેલ છે હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં અગરિયા હિત રક્ષક મંચના આગેવાનોએ જણાવ્યુ છે કે, માળીયા (મી)ના ગુલાબડી વાંઢ, આંકડિયા સહિતના ગામોમાં મચ્છુ નદીનું પાણી ફરી વળ્યું છે જેથી કરીને મીઠાના પાણી અગરમાં આવી ગયેલ છે જેથી કરીને અગરિયા પરિવારોને નુકશાન થયું છે અને આ ઘટનામાં જવાબદાર અધિકારીની સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે






Latest News