ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1,12,000 ની ચોરી


SHARE











વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1,12,000 ની ચોરી

વાંકાનેર ચંદ્રપુરમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળા તોડીને ઘરની અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને એક લાખ બાર હજારના મુદામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના ચંદ્રપુર વિસ્તારમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મકબલ અબ્દુલભાઇ મેસાણીયા (37) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના બંધ મકાનના તાળા તોડીને અજાણ્યા શખ્સોએ તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખેલો રોકડા 40000 રૂપિયા તેમજ સોના-ચાંદીના જુદાજુદા દાગીના આમ કુલ મળીને ઘરમાંથી એક લાખ બાર હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને પોલીસે ફરિયાદ લઈને ઘરમાં ચોરી કરનારા શખ્સોને પકડવા માટે હાલમાં જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે.






Latest News