મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પાસે કાર પલ્ટી જતા બે સગા ભાઈના મોત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE











ટંકારાના નેકનામ પાસે કાર પલ્ટી જતા બે સગા ભાઈના મોત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જવાના રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો જેથી કાર નેકનામ અને દહીસરડા વચ્ચે પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જેમાં મોરબીમાં રહેતા બે સગા ભાઈના મોત નીપજયાં હતા અને બે વ્યક્તિને ઇજા થવાથી સારવારમાં ખસેડાયા હતા

બનાવની મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા ટંકારા તાલુકાના નેકનામ ગામેથી પડધરી તરફ જવાના રસ્તા ઉપરથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩ એનએફ ૬૬૪૨ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં મોરબીના વિસીપરામાં રહેતા સોયબભાઈ હૈદરભાઈ જેડા અને અલ્તાફભાઈ હૈદરભાઈ જેડા નામના બે સગા ભાઈના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા અને આ બનાવમાં શાહિદભાઈ ઈલિયાસભાઈ કટીયા તથા સંજય અવચરભાઈ જંજવાળીયાને ઈજા થઈ હતી જેથી તેને ૧૦૮ મારફતે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News