મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન


SHARE







મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન

મોરબી જીલ્લાના માળીયા અને મોરબી તાલુકામાં આજની તારીખે સિંચાઈની સગવડતા વગરના અનેક ગામો આવેલ છે જેને ડેમની કેનાલ દ્વારા પાણી આપવામા આવશે તેવું વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કહેવામા આવ્યું હતું જો કે, અફસોસ કે આજની તારીખે તે લોકોને પાણી મળી રહ્યું નથી ત્યારે મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ દ્વારા નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરેલ છે

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ  ભાવેશ બી. સાવરિયાનર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો આજની તારીખે પણ વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર છે. આવા ગામોના ખેડૂતો દ્વારા કેનાલની સગવડતા આપવા માટેની માંગણીઓ વારંવાર કરવામાં આવે છે પરંતુ આજની તારીખે પાણી આપવામાં આવ્યું નથી અને તાજેતરમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને જયારે ગુજરાત સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે. ત્યારે અહીના ખેડૂતોને આશા છે કે હવે તેઓની પાણી માટેની વર્ષો જૂની માંગણીને પૂરી કરવામાં આવશે

મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ચુંટણી પ્રચાર વખતે બ્રિજેશ મેરજાને સાથે લાવ્યા વગર આવેલા આગેવાનો મોહનભાઈ કુંડારિયા તેમજ મગનભાઈ વડાવિયા તેમજ જવાહરભા ચાવડા  દ્વારા આ વિસ્તારના ખેડૂતોને વચન આપવામાં આવેલ હતું કે “તેમોને અમે સિંચાઈનું પાણી કેનાલ દ્વારા અપાવીશું  તમો ભાજપના ઉમેદવારને જીતાડો”  લોકોએ તેઓ ઉપર વિશ્વાસ કરીને મત આપીને ભાજપના ઉમેદવારને જીતાડેલ છે. તો હવે કેનાલ દ્વારા પાણી આપવા મતેજે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં આવે તે જરૂરી છે અને જો કેનાલની સુવિધા આપવામાં નહીં આવે તો નાછુટકે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર  અંદોલન કરવામાં આવશે






Latest News