વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન


SHARE











મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન

મોરબી જીલ્લાના માળીયા અને મોરબી તાલુકામાં આજની તારીખે સિંચાઈની સગવડતા વગરના અનેક ગામો આવેલ છે જેને ડેમની કેનાલ દ્વારા પાણી આપવામા આવશે તેવું વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કહેવામા આવ્યું હતું જો કે, અફસોસ કે આજની તારીખે તે લોકોને પાણી મળી રહ્યું નથી ત્યારે મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ દ્વારા નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરેલ છે

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ  ભાવેશ બી. સાવરિયાનર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો આજની તારીખે પણ વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર છે. આવા ગામોના ખેડૂતો દ્વારા કેનાલની સગવડતા આપવા માટેની માંગણીઓ વારંવાર કરવામાં આવે છે પરંતુ આજની તારીખે પાણી આપવામાં આવ્યું નથી અને તાજેતરમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને જયારે ગુજરાત સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે. ત્યારે અહીના ખેડૂતોને આશા છે કે હવે તેઓની પાણી માટેની વર્ષો જૂની માંગણીને પૂરી કરવામાં આવશે

મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ચુંટણી પ્રચાર વખતે બ્રિજેશ મેરજાને સાથે લાવ્યા વગર આવેલા આગેવાનો મોહનભાઈ કુંડારિયા તેમજ મગનભાઈ વડાવિયા તેમજ જવાહરભા ચાવડા  દ્વારા આ વિસ્તારના ખેડૂતોને વચન આપવામાં આવેલ હતું કે “તેમોને અમે સિંચાઈનું પાણી કેનાલ દ્વારા અપાવીશું  તમો ભાજપના ઉમેદવારને જીતાડો”  લોકોએ તેઓ ઉપર વિશ્વાસ કરીને મત આપીને ભાજપના ઉમેદવારને જીતાડેલ છે. તો હવે કેનાલ દ્વારા પાણી આપવા મતેજે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં આવે તે જરૂરી છે અને જો કેનાલની સુવિધા આપવામાં નહીં આવે તો નાછુટકે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર  અંદોલન કરવામાં આવશે






Latest News