મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે આધેડની હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે ફટકારી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા, એક લાખનો દંડ


SHARE







હળવદના સુરવદર ગામે આધેડની હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે ફટકારી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા, એક લાખનો દંડ

હળવદ તાલુકાના સુરવદર ગામે વર્ષ ૨૦૧૮ માં દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા માટે ગયા હતા ત્યાર બાદ મારામારી કરીને યુવાનને છરીના ઘા ઝીંકી દિધા હતા જેથી ઈજા આધેડને સારવારમાં લઇને આવેલ હતા અને સારવારમાં તેનું મોત નિપજ્યુ હતું જે હત્યાનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની સરકારી વકિલ પાસેથી મળેલ વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામના નિતેષભાઈ સુરાણીએ હત્યાની ફરીયાદ નોંધાવેલ હતી જેમા જણાવ્યુ હતુ કે ગત તા.૨૦-૧૧-૨૦૧૮ ના રોજ ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે થોડે દુર દેકારો થતા ગામના ઝાંપા તરફ જતા ગામના ભરત ગાંડુભાઈ દેસાઈની દુકાન સામે કુટુંબી ભાઈ અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણી બાઈક લઈને ઉભા હતા અને ગામના મનસુખ તખુભાઈ દેસાઈ અને જતિન મનસુખ દેસાઈ લાકડાના ધોકા લઈને ગાળો બોલતા હતા અને છોકરીની છેડતી બાબતે શા માટે બોલાચાલી કરી હતી.? તેવુ કહીને જતિને લાકડાના ધોકા વડે અશોકભાઈને છાતીના ભાગે ઘા માર્યો હતો તેમજ મનસુખભાઈએ છરી કાઢી પીઠના પાછળના ભાગે ઘા કરીને અશોકભાઇને ઈજા કરી હતી.જે ઈજાગ્રસ્ત અશોકભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતું.જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને હત્યાનો આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ સાહેબ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેએ કોર્ટમાં ૧૦ મૌખિક અને ૨૯ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી મનસુખ તખુભાઈ દેસાઈને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને એક લાખનો દંડ કર્યો છે જયારે આરોપી જતીન મનસુખ દેસાઈને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.






Latest News