મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે ઝંપલાવનાર પરિણીતા સારવારમાં


SHARE











મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે ઝંપલાવનાર પરિણીતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મયુર પુલ ઉપરથી નીચે નદીના પટમાં પાણીમાં કૂદકો માર્યો હતો જેથી તેને મહિલાને તાત્કાલિક સારવાર માટે તેના પતિ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં રહેતા જીતેન્દ્રભાઈ રૂગનાથભાઈ ઉભડિયાના પત્ની લક્ષ્મીબેન જીતેન્દ્રભાઈ ઉભડિયા (૨૭)એ ગત તા. ૫/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં મોરબીમાં મયુર પુલ ઉપરથી નીચે નદીના પટમાં પાણીમાં કુદકો માર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક તેના પતિ જીતેન્દ્રભાઈ ઉભડિયા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ એલ. આર. ચૌહાણ ચલાવી રહ્યા છે વધુમાં મળતી વિગત પ્રમાણે એક માસ પહેલા મહિલાના માતાનું અવસાન થયું હતું જેના પગલે આ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અનિલભાઈ બચુભાઈ સોલંકી (૩૨) નામના યુવાનને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે બાપા સીતારામ હોટલ પાછળના ભાગમાંથી પસાર થયેલા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ (૩૦) રહે. રેસા સીરામીક વાળાનું બાઈક થ્રી વ્હીલ વાહન સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News