હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે કામ ધંધો ન કરતાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના મકનસર ગામે કામ ધંધો ન કરતાં યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના ભાઈ તેના મૃતદેજને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા અમૃતભાઈ સિધ્ધરાજભાઈ જીંજુવાડીયા (૩૫) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના ભાઈ જીગ્નેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર થઈને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે વધુમાં મૃતક યુવાનના ભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, અમૃતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામકાજ કરતા ન હતા અને તેના પત્નીએ પણ બે દિવસ પહેલા ઘરમાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જોકે, તેને સમયસર સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં અમૃતભાઈએ ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે અને આ ઘટનાથી મૃતક યુવાનના ત્રણ દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવે છે

માર માર્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતા વિકાસશીલ ઠાકરસિંગ (૩૫) નામના યુવાને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જશપાલસિંહ ચલાવી રહ્યા છે






Latest News