મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં


SHARE











હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં

હળવદ નજીક ગઇકાલે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં બે વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એકનું મોત નીપજ્યું છે અને એક હાલમાં સારવાર હેઠળ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ નજીક શનિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ નવા ધનાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં ટ્રેકટર આવી રહ્યું હતું તેના ડ્રાઇવરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગોવર્ધનભાઈ રવજીભાઈ દલવાડી (૬૮) નું મોત નીપજ્યું છે જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ દલવાડી (૬૫)ને ગંભીર ઈજા થતાં તેને હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ  ગોવર્ધનભાઈ અને ત્રિભોવનભાઈ હળવદમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે કથાની પોથીયાત્રામાં આવ્યા હતા અને ત્યાંથી બંને નવા ધનાળા પરત જતાં હતા ત્યારે ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે પૈકીનાં એક વૃદ્ધનું મોત નીપજયું છે




Latest News