વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં નટરાજ ફાટક પાસે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીક ભડીયાદ કાંટા પાસે રહેતો યુવાન નટરાજ ફાટક પાસે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ ભડીયાદ કાંટા પાસે રહેતા દેવજીભાઈ કેશુભાઈ સોમાણી (૩૫) નામનો યુવાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નટરાજ ફાટક પાસે હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક માતાજીના મંદિરની પાછળના ભાગમાં મફતિયાપરામાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં નજમાબેન ઇલ્યાસભાઈ ચૌહાણ (૨૮) નામની યુવતીને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી આ બનાવની આગળ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રહેતા દિનેશભાઈ માનસિંગ બારીયા (૩૧) ને મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા કરી રહ્યા છે






Latest News