મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો


SHARE







સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી જાણીતા હાસ્ય કલાકાર અને ખરા અર્થમાં સમાજ સેવક એવા ડો.જગદીશ ત્રિવે દીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૨૫ જાન્યુઆરીની રાત્રે પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો અને એક મહીના બાદ બીજો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર ડો.જગદીશ ત્રીવેદીને જાહેર થયો છે.૨૦૨૪માં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર બન્ને મેળવનાર એકમાત્ર ભારતીય બનશે ડો.જગદીશ ત્રિવેદી.

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ભારતભરની વિવિધ કલાના કુલ ૪૬ કલાધરોને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.તેમાં ૨૦૨૩ ના વર્ષમાં ગુજરાતના હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક તેમજ બહ્મ સમાજના ઘરેણા સમાન ડો.જગદીશ ત્રિવેદીને આ પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૬-૩-૨૪ ના રોજ દિલ્હી ખાતે સંગીત નાટક અકાદમીના ચેરમેન ડો.સંધ્યા પુરેચાના હસ્તે તામ્રપત્ર, શાલ અને રૂા.૧,૦૦,૦૦૦ (એક લાખ) ના રોકડ પુરસ્કાર સાથે આ સન્માન એનાયત થશે.આ વર્ષે પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર બન્ને મળ્યા હોય એવા એકમાત્ર ભારતીય બનવા બદલ ડો.જગદીશ ત્રિવેદી ઉપર તેમના સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, ચાહકો તેમજ શુભેચ્છક ગૃપ તેઓના ઉપર સતત શુભેચ્છાઓનો ધોધ વહાવી રહ્યા છે.






Latest News