મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાનો પદગ્રહણ સમારોહ યોજાયો


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના માજી ધારાસભ્યો કોંગ્રેસના હાજર રહ્યા હતા અને તે ઉપરાંત વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે સત્તા માટે નહીં પરંતુ સેવા માટે કોંગ્રેસ સાથે આગેવાનો અને કાર્યકરો જોડાય છે અને લોકોના આશીર્વાદ સાથે લોક કલ્યાણ માટે કામ કરવાની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ઉજ્વલા પાર્ટી પ્લોટ ખાતે તેઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા અને તે ઉપરાંત માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા, મહમદ જાવેદા પીરજાદા, ઋત્વિકભાઈ તે સહિતના કોંગ્રેસના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આ તકે ભાજપની નીતિ ઉપર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ સવાલો ઉઠાવ્યા હતા અને હાલમાં જે ભાજપની અંદર ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે તેને લઈને કટાક્ષ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપને તેના કામ ઉપર કે કાર્યકરો ઉપર વિશ્વાસ નથી એટલા જ માટે ડર બતાવીને કે લાલચ આપીને કોંગ્રેસમાંથી આગેવાનો લઈ જવા પડે છે જોકે કોંગ્રેસની સાથે આજની તારીખે પણ અડીખમ યોદ્ધાની જેમ જોડાયેલા આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ સાથે જોવા મળશે અને ખાસ કરીને કોંગ્રેસ સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરતી પરંતુ સેવા માટે સંઘર્ષ કરી રહી છે અને ગુજરાતના લોકોના આશીર્વાદ સાથે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા મળે તે લોકોના કલ્યાણ માટે હશે તેઓ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો






Latest News