મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બુટલેગરો બેફામ: પોલીસને બાતમી આપતા હોવાની શંકા આધારે વેપારી ઉપર ત્રણ શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો


SHARE











વાંકાનેરમાં બુટલેગરો બેફામ: પોલીસને બાતમી આપતા હોવાની શંકા આધારે વેપારી ઉપર ત્રણ શખ્સોએ કર્યો પાઇપ વડે હુમલો

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા વેપારીને પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને ત્રણ બુટલેગરો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વેપારીને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર દેશી વિદેશી દારૂ તથા અન્ય માદક પ્રદાર્થો જ માંગો તે મળે તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ત્યારે બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ વાંકાનેર શહેરની અંદર જોવા મળ્યો છે વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારની અંદર ચા ની ભૂક્કીનો વેપાર કરતા અને ગોપાલ ટી નામની દુકાન ધરાવતા નીતિનભાઈ રમણીકલાલ ખેરૈયા (૫૫) નામના આધેડને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તેઓ તેના ઘર પાસે હતા ત્યારે રિતેશ વનરાજ ઝાલા અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા નીતિનભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટેની કવાયત હોસ્પિટલ મારફતે કરવામાં આવી છે વધુમાં ઇજા પામેલા આધેડની દીકરી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રિતેશ અને તેની સાથે આવેલા શખ્સો બુટલેગર હતા અને પોલીસને બાતમી આપે છે તેવું કહીને તેની શંકા રાખીને માર માર્યો હતો જેથી ઈજા પામેલા તેના પિતાને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈને આવેલ છે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ગત રવિવારે આ શખ્સો તેના પિતા પાસે આવ્યા હતા ત્યારે ૩૫૦૦ ની કિંમતની ઘડિયાળ લઈ ગયા હતા અને ગઈકાલે જ્યારે માર મારવામાં આવ્યો ત્યારે તેઓની પાસેથી રોકડા ૮૦૦૦ રૂપિયા આ શખ્સો લઈ ગયેલ છે જેથી પરિવારના સભ્ય દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપ બાદ પોલીસ દ્વારા બુટલેગરો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આગળની સમય જ બતાવશે.

મારામારીમાં ઇજા

મોરબીમાં પાડા પુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સિકેત બાળકુમાર ભાભોર (૨૦) નામના યુવાનને મારામારીમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News