મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ સંતાનો મુકીને ગુમ થયેલ પરિણીતા દોઢ માસ બાદ સુરતથી મળી, પતિ સાથે નથી રહેવુ..!


SHARE







મોરબીમાં ત્રણ સંતાનો મુકીને ગુમ થયેલ પરિણીતા દોઢ માસ બાદ સુરતથી મળી, પતિ સાથે નથી રહેવુ..!

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા યુવાનની પત્ની ઘરે કોઈને કશુંકહ્યા વગર ગુમ થઈ ગયેલ જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા પત્ની ગુમ થઈ હોવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરતા ગુમ થયેલ મહિલાની સુરતથી ભાળ મળી હતી અને ત્યાં તેણીના બહેનપણીને ત્યાં રહેવા ચાલી ગઈ હોય અને પતિ સાથે નથી રહેવુ તેવો મામલો સામે આવેલ છે..!

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોટી વાવડી ગામના રહેવાસી અને હાલમાં લાલપર ગામ નજીક આવેલ સીરામીક સીટી-એલ ૪ બ્લોક નંબર ૩૦૩ માં રહેતા સુનિલભાઈ ગીરીશભાઈ દવે જાતે બ્રાહ્મણ (૪૭ )એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની અંબિકાબેન સુનિલભાઈ દવે જાતે બ્રાહ્મણ (૩૪) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ.જણાવ્યું હતુ કે, ગત તા.૨૧/૧૨/૨૩ ના રોજ સવારના પોણા બાર વાગ્યાના અરસામાં અંબિકાબેન દવે પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ત્રણ સંતાનોને મુકીને નીકળી ગયા હતા.તેઓ ઘરે પરત આવેલ ન હોય તેમજ તેણીનો કોઈ જગ્યાએથી પતો લાગેલ ન હતો.જેથી સુનિલભાઇ દવેએ જાણ કરતા પોલીસે ગુમસુધા ફરિયાદ લીધી હતી અને તેની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના રાજેશભાઈ ડાંગર ચલાવી રહ્યા હતા.દરમ્યાનમાં સામે આવ્યું હતું કે મોરબીના સિરામિક સિટીમાંથી ગુમ થયેલા અંબિકાબેન ગત તા.૨૧-૧૨-૨૩ ના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ તેઓ તા.૧-૨-૨૪ ના રોજ સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને ત્યાં તેઓએ પોલીસને નિવેદન આપ્યું હતું કે તેઓ પોતાના પતિ સુનિલભાઈ દવેની સાથે રહેવા માંગતા નથી અને હાલ અહીં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ યોગી દર્શન સોસાયટીમાં રહેતી તેમની સહેલી ધારાબેન પીન્ટુરાજ ઘનશ્યામસિંહ પરમારની સાથે રહેવા માંગે છે..! આ બાબતે સુરતથી જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આ અંગે અંબિકાબેનના પરિવારજનોને આ બાબતે જાણ કરી હતી.

સર્કિટ હાઉસ પાસે રમકડા વેચનારા લોકો વચ્ચે સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે ફૂટપાટ ઉપર રહીને રમકડા તથા અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા લોકોનો સતત ત્યાં અડીગો જમાવેલો હોય છે અને છાશવારે ત્યાં મારામારી-ઝગડાના બનાવો બને છે આવો જ બનાવ મોરબીના સર્કિટ હાઉસ પાસે બન્યો હતો જેમા નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ઈજા પામેલા નયનાબેન જગદીશભાઈ ચાડમિયા (૪૫) હાલ રહે.માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ નજીક સામાકાંઠે મોરબી-૨ ને માથાના ભાગે મુઢ ઇજાઓ થઈ હતી તેથી સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા અને સામેના પક્ષેથી વિક્રમભાઈ મગનભાઈ વોમજી (૩૦) હાલ રહે.સર્કિટ હાઉસ પાસે માળિયા ફાટક નજીક વાળાને પણ મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો.આ બંને બાબતોએ હોસ્પિટલેથી યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ મારામારીના બનાવની તપાસ કરી હતી.






Latest News