મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર અને પીપળીયા ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી


SHARE











મોરબીની પંચાસર અને પીપળીયા ચોકડી પાસેથી એક-એક બાઈકની ચોરી

મોરબીની પંચાસર ચોકડી પાસે અને મોરબીની પીપળીયા ચોકડી પાસેથી જુદી જુદી બે જગ્યા ઉપરથી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી છે અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના જુદા જુદા બે ગુના નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેશવનગર ગામે રહેતા મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી પ્રવીણભાઈ કરસનભાઈ બ્રાહ્મણ (૪૧)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની પંચાસર ચોકડી પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૮ સીએલ ૩૩૯૫ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ભગવતી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પટેલ પાનની સામે કાંતિનગર ગામે રહેતા બિલાલભાઈ પરબતભાઈ અન્સારી (૩૫) એ પોતાનું બાઈક નંબર જીજે ૩ એચડી ૦૦૯૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

પીપળી રોડ મારામારી
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ બેલા નજીક ઇન્ડિકા સિરામિક નામના યુનિટ નજીક રહેતા સુજીત કિશોરભાઈ શો (ઉંમર ૩૦) નામના યુવાનને સોમનાથ પેટ્રોલ પંપ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના વજેપરા વિસ્તારમાં શેરી નંબર-૧૭ માં રહેતા દિવ્યેશ ગોપાલભાઈ નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે ઘર નજીકથી બાઈક લઈને પસાર થતો હતો તે સમયે ગત તા.૯ ના રોજ રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ઘર પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.આ બનાવમાં ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરાઈ હતી.






Latest News