ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂા.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કેશુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૫૦), અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી જાતે સીંધી (ઉ.૩૯), સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા જાતે દેવીપૂજક (ઉ.૪૬) અને રાજુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂ.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ચારને ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર બે બાઇક સામસામે ટકરાયાં હતા જે બનાવમાં સંજીવસિંહ દશરથસિંહ રાજાવત (૪૨), રામકુમાર શિવસિંહ રાજાવત (૪૭) ને તેમજ સામેના બાઇકમાં સવાર સુનિલ હરીનંદનલાલ (૧૯) અને રાજુ મહાવીરસિંહ (૧૯) આમ ચાર લોકોને ઈજાઓ થઈ હોય ચારેયને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જીકીયારી ગામે થયેલ મારામારીના બનાવમાં અશ્વિન કાન્તિલાલ સોલંકી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થતાં સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા મણિલાલ માનસીંગ રજપુત નામનો ૨૫ વર્ષીય યુવાન રાત્રે આઇટીઆઇએ નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં નવા બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજાઓ થતાં અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News