મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા યોજાનાર ૧૦૧ સર્વ હિન્દુ જ્ઞાતીય સમુહ લગ્નમાં જોડાવા અપીલ


SHARE







મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા યોજાનાર ૧૦૧ સર્વ હિન્દુ જ્ઞાતીય સમુહ લગ્નમાં જોડાવા અપીલ

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્રારા ૧૦૧ દીકરીઓનો સર્વ હિન્દૂ જ્ઞાતિનો ત્રીજો જાજરમાન સામુહીક લગ્નોત્સવ યોજાનાર છે તેમાં જોડાવા માચે તા.૯ મી ફેબ્રુઆરીથી ૩૧ મી માર્ચ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.

ચોટીલા અને રાજકોટના સોખડામાં ભવ્ય સફળતાં બાદ હવે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે ૧૦૧ દીકરીઓનો ત્રીજો જાજરમાન સમૂહિક લગ્નોત્સવ આગામી સંવત ૨૦૮૦ વૈશાખ સુદ-૫ તા.૧૨ મે ૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે સર્વ હિન્દૂ જ્ઞાતિની દીકરીઓ માટે યોજાનાર છે. આ ત્રીજા લગ્નોત્સવનું આયોજન કરીને તેમા કરિયાવરમાં દીકરીઓને ૧૦૧ થી વધારે કરિયારની વસ્તુઓ આપવામાં આવશે.જે બાબતે હાલ આયોજક મંડળ દ્વારા જણાવાયું છે કે, જે દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતી હોય તેઓના પરીવારજનો દ્રારા ૯ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધીમાં ફોર્મ ભરી જવા.

વધુ માહિતી માટે બપોરે ૨ થી સાંજે ૭ કલાક સુધી મહાકાળી સપ્લાયર, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે જયેશભાઇ સોમાણી (મો.નં.૯૧૭૩૦ ૦૯૯૬૮), જગદીશભાઈ બાંભણિયા (મો.નં.૯૧૦૬૫ ૧૮૧૮૯), ચિરાગભાઈ સેતા (મો.નં.૯૭૩૭૨ ૨૪૨૩૧) અથવા દેવેનભાઈ (મો.નં.૯૦૩૩૬ ૫૫૫૧૦) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News