મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE











ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત

દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના ટંકારામાં તેના માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હોવાની એસીબીની ટીમને ફરિયાદ મળી હતી જેથી કરીને ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવાના ૨૦૦ રૂપિયા લેતાની સાથે પકડી લેવામાં આવેલ હતો જે આરોપીના જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને જામીન મુક્ત કરવામાં આવેલ છે

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા મૂળ નાનાખિજડીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ (૩૮)ને વિનામુલ્યે કરવાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ ગુનામાં પકડાયેલા આરોપીએ વકીલ ટી.બી દોશી મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીના રેગ્યુલર જામીન મુક્ત કરવા હુકમ કરલે છે આ કેસમાં વકીલ ટી.બી દોશી, અમિતભાઈ જાની, કે.ડી. સંખેસરિયા, રાહુલભાઈ ડાંગર અને કેતનભાઇ ચૌહાણ રોકાયેલ હતા






Latest News