ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું


SHARE











મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના હસ્તે સંત નિવાસનું ભૂમિ પૂજન કરાયું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે સંત નિવાસના ભૂમિ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ વિભાગના મંત્રી કૈલાશ વિજય વર્ગીય હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે આ ભૂમિ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, ઈન્દોરના ધારાસભ્ય રમેશ મંદોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા આ તકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું કે, ખોખરા ધામની ભૂમિ એ ધર્મની ભૂમિ છે અને ધાર્મિક કાર્ય સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ ત્યાં કરવામાં આવી રહ્યા છે ત્યારે માનસિક રીતે વિકલાંગ પછી અનાથ સાધુઓને પણ ત્યાં રહેવા માટે સંત નિવાસ બનાવવામાં આવી રહ્યું છે તે અનેક સાધુ સંતો માટે આશીર્વાદ સમાન બની રહેશે આ તકે પત્રકારોએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને ઉજ્જૈનમાં બનેલી ઘટના વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જૈનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જે તોડવાની ઘટના બની હતી તેમાં આરોપીઓની સ્થાનિક પ્રશાસન દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે






Latest News