મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીના જેતપર ગામે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમજ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ચમરીયાભાઈ રૂપસિંહભાઇ ચૌહાણ (૬૨) નામના વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને નરભેરામભાઈ રણછોડભાઈ જાકાસણીયા તેને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે તેની પાસેથી મળતી માહિતી મુજબ વૃદ્ધે બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનોએ જણાવ્યુ છે જેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

હાર્ટ એટેકથી મોત

મૂળ રાજસ્થાનના બિયાવર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયા પાસે આવેલ મહાદેવ હોટલ ખાતે રહેતા બળવંતસિંગ સરદારસિંગ ચૌહાણ જાતે રાજપુત (૪૫) ને છાતીમાં દુખાવો થતાં હૃદય રોગનો હુમલો આવી જવાથી તેનો મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની બબુસિંગ સરદારસિંગ ચૌહાણ જાતે રાજપૂત (૩૬) રહે. એકતા હોટલ સામખીયાળી તાલુકો ભચાઉ મૂળ રહે. રાજસ્થાન વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News