મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી


SHARE











માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી

મોરબી જીલ્લામા આવેલ માળીયા મિૅંયાણા તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમા મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના જુના સભ્યોના નામો રદ કરી નાંખી તાલુકા બહારના તેના મળતીયાઓના નામ દાખલ કરીને ગેરકાયદે જમીન ફાળવવામાં આવેલ હતી. જે બાબતે છેલ્લા ૩ વર્ષથી મંડળીના સભ્યો લડત ચલાવી રહયા હતા. છેલ્લા ૨૬ દિવસથી મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાશ આંદોલન ચલાવી રહયા હતા.

જેમા મોરબી જીલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી સચિવ ડો.મનિષા ચંદ્રા દ્વારા કલેકટર જી.ટી.પંડયા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, અધિક કલેકટર ખાચર, મામલતદાર મહેતા અને દલીત સમાજના આગેવાનો રાજેશભાઇ ચૌહાણ, મુળજીબાપા, કિશોરભાઇની હાજરીમાં શાંતીથી સાંભળવામાં આવ્યા હતા અને જવાબદારોની સામે કડક પગલા ભરવા અને મંડળીના સભ્યોને પુન: દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ડો.મનિષા ચંદ્રા દ્વારા ખાતરી આપવામાં આવતા કલેકટર પંડયાના હસ્તે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા.સાથોસાથ મોરબી જીલ્લા દલીત સમાજના વિવિધ પ્રશ્નનો બાબતે પણ પ્રભારી સચિવ સાથે ચર્ચા કરીને હકારાત્મક ઉકેલ લાવી દલીત સમાજના પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.






Latest News