મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વાઘરવા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લેતા એકનું મોત: બેને ઇજા


SHARE











માળિયા (મી)ના વાઘરવા પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ત્રિપાલ સવારી સ્કૂટરને હડફેટે લેતા એકનું મોત: બેને ઇજા

માળિયા મિયાણાં તાલુકાના વાઘરવા ગામ નજીક બુધવારે રાતના સમયે પેટ્રોલ પંપમાંથી સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને ત્રિપાલ સવારીમાં ત્રણ યુવાનો જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેના વાહનને હડફેટે લીધું હતું જેથી કરીને એકનું મોત નીપજયું હતું અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા છે જો કે, હજુ સુધી આ બનાવ સંદર્ભે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

જાણવા મળતી માહિતી મુજબ માળિયાના હરીપર ગામના રહેવાસી સલીમ અકબર ભુવડ (૩૫) જાતે ઘાંચી, મુકેશ રાયસિંગભાઈ (૩૮) રહે. મૂળ પંચમહાલ હાલ રહે વધારવા અને દશરથ ઘેલાભાઈ સોલંકી (૩૮) રહે. મૂળ સાણંદ હાલ રહે. વધારવા વાળા એકટીવામાં ત્રિપાલ સવારીમાં જઈ રહ્યા હતા ત્યારે વાધરવા ગામ નજીક પેટ્રોલ પંપમાં સ્કૂટરમાં પેટ્રોલ ભરાવીને રોડ ઉપર આવી રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેને સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં એક્ટિવા ઉપર જઈ રહેલા સલીમ અકબર ભુવડ જાતે ઘાંચી (૩૫)ને વધુ ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જો કે, બીજા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા હાલમાં મુકેશભાઇ તેના વતનમાં જતાં રહ્યા છે અને દશરથભાઈને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવેલ છે છે અને અકસ્માત કરીને ટ્રક ટ્રેલરનો ચાલક તેનું વાહન લઈને નાશી ગયેલ છે અને હજુ સુધી આ બનાવની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી તેવું માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના રણજીતભાઈ રોહડિયા પાસેથી જાણવા મળેલ છે

ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના વાધરવા ગામ પાસે તા.૧૦ ના રાત્રી દરમિયાન વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવવામાં ઈજા પામેલા નીરજ શંકરભાઈ સહાની નામના ૧૮ વર્ષીય યુવાનને પણ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ માળિયા પોલીસ મથકનો હોવાથી આગળની તપાસ માટે ત્યાં જાણ કરાયેલ છે.






Latest News