ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડે આવેલ શિવ શક્તિ પાર્કમાંથી મંદિરે જવાનું કહીને નીકળેલા વૃદ્ધ ચાર મહિનાથી ગુમ


SHARE











મોરબીના આલાપ રોડે આવેલ શિવ શક્તિ પાર્કમાંથી મંદિરે જવાનું કહીને નીકળેલા વૃદ્ધ ચાર મહિનાથી ગુમ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ઘરે પરત આવ્યા ન હતા જેથી તેમની શોધખોળ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી હતી જો કે, તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલા વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ શિવ શક્તિ પાર્ક ઇસ્કોન પેલેસ પ્લેટ નં- ૩૦૨ માં રહેતા જયેશભાઈ પ્રાણજીવનભાઈ કગથરા જાતે પટેલ (૩૬)એ તેઓના પિતા પ્રાણજીવનભાઈ ગોવિંદભાઈ કગથરા જાતે પટેલ (૬૫) રહે. આલાપ રોડ શિવ શક્તિ પાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૬૦૧ વાળા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી  સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨/૯/૨૩ ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેઓના પિતા તેમના ઘરેથી જંગલેશ્વર મહાદેવ કોઠારીયા વાંકાનેર પાસે મંદિરે જાઉ છું તેવું કહીને નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ઘરે પરત આવેલ નથી જેથી કરીને પરિવારજનોને ત્યાં અને સગા સબંધીઓને ત્યાં ઘર મળે તે લોકો તેની શોધખોળ કરી રહ્યા હતા જો કે, હજુ સુધી તેમનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી જયેશભાઈ કગથરા દ્વારા તેઓના પિતા પ્રાણજીવનભાઈ કગથરા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે વધુમાં જયેશભાઈએ પોલીસને જણાવ્યુ છે કે, તેઓના પિતાને છેલ્લા એકાદ વર્ષથી બ્લડ કેન્સરની બીમારી હતી અને તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલ હતું અને તેમની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટ જેટલી છે જેથી કરીને ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News