મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બીમારીથી પતિનું મૃત્યુ થતાં તેના વિરહમાં પત્નીએ ન કરવાનું કર્યું


SHARE











મોરબીમાં કેન્સરની બીમારીથી પતિનું મૃત્યુ થતાં તેના વિરહમાં પત્નીએ ન કરવાનું કર્યું

મોરબીમાં કેન્સરના કારણે પતિના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતા પત્નીએ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું પણ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા રાધાબેન પ્રવીણભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૩૦) નામની મહિલાએ પોતે પોતાના ઘરે જાતે કોઈ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના પતિ પ્રવીણભાઈ નારણભાઈ ઝીંઝવાડીયાનું ગત તા. ૭/૧/૨૪ ના રોજ કેન્સરની બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતું અને તેના આઘાતને સહન નહીં કરી શકતા રાધાબેને આ પગલું ભર્યું હોવાનું તેઓના પરિવારજન જણાવી રહ્યા છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News