મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી


SHARE











મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી

મોરબી પાલિકામાં કોઈ વિપક્ષના સભ્ય છે જ નહિ તો પણ લોકોની સુવિધામાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે અને કેટલા વિસ્તારોમાથી સ્ટ્રીટ લાઇટો ચોરી કરવામાં આવેલ છે તો પણ તેની દરકાર લેવામાં આવી રહી નથી ત્યારે દશેરા અને દિવાળી જેવા રોશનીના પર્વ આવી રહ્યા છે ત્યારે જો ગામમાં અંધારા દૂર કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી સામાજિક કાર્યકરોએ ઉચ્ચારી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસાભાઈ બ્લોચ અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ હાલમાં કલેક્ટરને રજુઆત કરી છે કે, શહેરના સામાકાંઠે નટરાજ ફાટકથી ધરમપુર રોડ ઉપર છેલ્લા સાત મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ છે, પી.ડબ્લ્યુ, ડી. કચેરી તથા ત્રાજપર ચોકડીથી તાલુકા પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર અમુક લાઈટો ચોરાઈ ગઈ છે અને અમુક લાઈટો બે માસથી બંધ છે, અયોધ્યાપુરી મેઈન રોડ જલારામ મંદિરવાળો આખા રોડે અંધારા છે, કેનાલ રોડ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી, વીસી ફાટકથી ધક્કાવાળી મેલડી માતાના મંદિર સુધી અંધારપટ્ટ છે તેના માટે અનેક વખત રજૂઆતો કરી છે તો પણ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો હેરના થાય છે હાલમાં મોરબી પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે અને વિપક્ષ છે જ નહીં તો પણ લોકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે હાલમાં જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને આગામી ૧૫ દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચાર છે




Latest News