મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત


SHARE











માળીયા (મી) નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી અજાણ્યા આધેડનું મોત

માળીયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે અજાણ્યા આધેડ પુરુષનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ અજાણ્યો આધેડ પુરુષ ડૂબી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ નદીમાં ડૂબી ગયેલા આધેડ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અજાણ્યા ૫૦ વર્ષના આધેડ પુરુષનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાની માળીયા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને હાલમાં મૃતક વ્યક્તિની ઓળખાણ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.પી. મારુણીયા ચલાવી રહ્યા છે

રિક્ષા-કાર વચ્ચે અકસ્માત

મોરબીના ઊંચી માંડલ ગામથી નીચીમાંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીતેશ માયાભાઇ રાતડીયા (૨૨), રાહુલ ભરતભાઈ ગગિયા (૩૮), દિવ્યેશ મોહનભાઈ સોનાગરા (૨૩) અને હિરેન મેરાભાઈ ગગીયા (૩૦) નામના ચાર યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News