માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત


SHARE











મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત

 ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા હાલમાં જુદા-જુદા જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે ત્યારે રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યના વાહન વ્યવહારનાગરિક ઉડ્ડયનપ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઇ રૈયાણી મોરબી આવ્યા હતા અને મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા બાદ તેની જન આશીર્વાદ યાત્રા મોરબી થી રાજકોટ તરફ જવા માટે રવાના થઈ હતી ત્યારે વીરપર, ધ્રુવનગર, ટંકારા સહિતના ગામોમાં મંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓને કુમકુમ તિલક કરી આવકાર સાથે સન્માન આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, મોરબી યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો તેની સાથે રહ્યા હતા




Latest News