જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શિશુગૃહ-વૃધ્ધાશ્રમના ઉદ્દઘાટન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શિશુગૃહ-વૃધ્ધાશ્રમના ઉદ્દઘાટન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહરધામ ખાતે આગામી માં તા ૨૮થી ૩૦ સુધી મહામંડલેશ્વર ૧૦૦૮ માં કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા, અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન તેમજ શિશુગૃહ અને વૃધ્ધાશ્રમનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે.

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામમાં સદગુરુ કેશવાનંદ બાપુની ભજનભૂમિ, સીતારામ બાપુની સાધનાભૂમિ તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ કનકેશ્વરીદેવીજીની પરમાર્થ ભૂમિ છે. આ ધાર્મિક સ્થળે અખંડ ભજન તથા ભોજનનો સમન્વય સધાઈ રહ્યો છે. ત્યારે ખોખરા હનુમાન હરિહરધામમાં માતા-પિતાથી વિખુટા પડી ગયેલા અસહાય બાળકોને આશ્રય તથા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સ્વસ્થ અને સંસ્કારમય જીવન પ્રાપ્ત થાય એવા હેતુથી સદગુરુ વાત્સલ્યવાટીકા એટલે શિશુગૃહ તથા સમાજના એવા વડલા કે જે કોઇને કોઈ કારણથી એકલા પડી ગયેલા છે તેને આશરો, પૌષ્ટિક ભોજન તથા સન્માનપૂર્વક જીવન મળી રહે એ માટે અંદાજે બે કરોડના ખર્ચે વાનપ્રસ્થાશ્રમ એટલે વૃધ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન તા ૩૦ ના રોજ સવારે નવ વાગ્યે કરવામાં આવશે તેમજ ત્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

આ ઉપરાંત તા ૨૮ થી રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધા અને અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તા. ૨૯ મીએ રાત્રે ૯:૩૦ કલાકે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલાકાર કીર્તિદાન ગઢવી, ખુશાલીબેન બક્ષી તથા સાથી કલાકારો જમાવટ કરશે. આ કાર્યક્રમોમાં સંતશિરોમણી શાન્તેશ્વરાનંદજી મહારાજ, મુક્તાનંદ બાપુ (સભાપતિ, અગ્નિ અખાડા), કૈલાસ વિજચવર્ગીયજી (રાષ્ટ્રીય મહાસચિવ, ભાજપ), ઋષિકેશભાઈ પટેલ (કેબીનેટ મંત્રી આરોગ્ય), મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા અને કેશરીદેવસિંહ ઝાલા, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જેન્તિભાઈ ભાડેસીયા, ધારાસભ્ય પબુભા માણેક, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા, હાર્દિકભાઈ પટેલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી,  લાખાભાઈ જારીયા, સચિવ વિનોદ રાવ, કલેક્ટર જી.ટી. પંડયા, એસપી રાહુલ ત્રિપાઠી ડીડીઓ ડી.ડી. જાડેજા સહિતના હાજર રહેશે






Latest News