મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો


SHARE











મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો

આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં લાઇફ સકીલ ડેવલોપ્મેન્ટની નૂતન સંકલ્પનાને સાકાર કરવા મોરબીમાં ગીતાંજલી વિદ્યાલયના ટ્રસ્ટી રૂપલબેન પનારા, આચાર્ય ઉભડીયા હર્ષદભાઇ તથા કંઝારીયા ધર્મેશભાઇ તેમજ સ્ટાફ મીત્રો દ્વારા બાળમેળો-લાઈફસ્કીલ મેળાનું  આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ગખંડમાં બાળક ઘણું બધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યુંતેનો આનંદ તેને જે મળે છે તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે બાળમેળોએ પાયાના પગથિયા સમાન છે. ત્યારે ગીતાંજલી વિદ્યાલયમાં બાળમેળનુ આયોજન કરીને વિદ્યાર્થીઓને પોતાની કુશળતા વિકસાવવા અલગ અલગ ચીજવસ્તુ અને ખાણી-પીણીના સ્ટોલ બનાવી પોતાનામાં રહેલી આવડતને વેપાર-વાણિજય ક્ષેત્રે વિકસાવવાની તક પૂરી પડી હતી આ તકે વાલીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં શાળાની મુલાકાતે આવ્યા હતા.






Latest News