મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો


SHARE







મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો

આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં લાઇફ સકીલ ડેવલોપ્મેન્ટની નૂતન સંકલ્પનાને સાકાર કરવા મોરબીમાં ગીતાંજલી વિદ્યાલયના ટ્રસ્ટી રૂપલબેન પનારા, આચાર્ય ઉભડીયા હર્ષદભાઇ તથા કંઝારીયા ધર્મેશભાઇ તેમજ સ્ટાફ મીત્રો દ્વારા બાળમેળો-લાઈફસ્કીલ મેળાનું  આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ગખંડમાં બાળક ઘણું બધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યુંતેનો આનંદ તેને જે મળે છે તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે બાળમેળોએ પાયાના પગથિયા સમાન છે. ત્યારે ગીતાંજલી વિદ્યાલયમાં બાળમેળનુ આયોજન કરીને વિદ્યાર્થીઓને પોતાની કુશળતા વિકસાવવા અલગ અલગ ચીજવસ્તુ અને ખાણી-પીણીના સ્ટોલ બનાવી પોતાનામાં રહેલી આવડતને વેપાર-વાણિજય ક્ષેત્રે વિકસાવવાની તક પૂરી પડી હતી આ તકે વાલીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં શાળાની મુલાકાતે આવ્યા હતા.






Latest News