મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના અજીતગઢથી ખોડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે ગયો હતો.ત્યારે ડૂબી જવાથી તે યુવાનનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ વડોદરાના સાવલી તાલુકાના રહેવાસીને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ ધુળાભાઈ નાયક (૪૦) નર્મદાની અજીતગઢથી ખોડ ગામ વચ્ચેની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા અને ત્યારે નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આ બનાવ અંગેની મૃતક દિલીપભાઈ ના ભાઈ જગદીશભાઈ ધુળાભાઈ નાયક (૪૫) રહે હાલ મહાપુરા વિઠ્ઠલભાઈ પટેલની વાડીએ તાલુકો સાવલી જીલ્લો વડોદરા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News