હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના અજીતગઢથી ખોડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે ગયો હતો.ત્યારે ડૂબી જવાથી તે યુવાનનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ વડોદરાના સાવલી તાલુકાના રહેવાસીને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ ધુળાભાઈ નાયક (૪૦) નર્મદાની અજીતગઢથી ખોડ ગામ વચ્ચેની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા અને ત્યારે નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આ બનાવ અંગેની મૃતક દિલીપભાઈ ના ભાઈ જગદીશભાઈ ધુળાભાઈ નાયક (૪૫) રહે હાલ મહાપુરા વિઠ્ઠલભાઈ પટેલની વાડીએ તાલુકો સાવલી જીલ્લો વડોદરા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News