માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ


SHARE











મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ

મોરબી જીલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લા કક્ષાની ચિંતન શિબિરનું નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેની માહિતી આપતા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા બેચુભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ લાલુભા ઝાલાએ જણાવ્યુ છે કે, સૌ પ્રથમ કોરોનામાં અવસાન પામેલા રાજપૂત સમાજના લોકોને મૌન પાળીને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહજી જાડેજાએ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તા નિર્માણ તથા ઐતિહાસિક માહિતી આપી હતી. તો પી. ટી. જાડેજાએ સમાજ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અને રંગપના મહેન્દ્રસિંહજી ઝાલા દ્વારા સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને મહિલા સંઘના અધ્યક્ષ જયશ્રીબા ઝાલા અને ગુજરાત મહિલા સંઘના અધ્યક્ષ દશરથબા પરમારે રાજપૂત સમાજના મહિલાઓની વર્તમાન સમસ્યા અને તેના સમાજ દ્વારા ઉકેલની જાણકારી આપી હતી અને અંતે આભાર જે.એમ. જાડેજાએ વ્યક્ત કર્યો હતો




Latest News